કયા પ્રકારના આંબાની કેરીઓ સૌથી વધુ ગુણકારી હોય છે જાણો.

ગુજરાત એટલે સ્વાદ, સંસ્કૃતિ અને પ્રકૃતિનો અદ્ભુત મેળાપ. ગુજરાતમાં જેટલા પ્રસિદ્ધ ખાવાના પદાર્થો છે, એટલી જ પ્રસિદ્ધ અહીંની કેરીઓ પણ છે. ઉનાળાની ઋતુ આવે એટલે દરેક ઘરમાં કેરીની સુગંધ ફેલાઈ જાય છે. કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે, કારણ કે તે માત્ર સ્વાદમાં જ નહીં પરંતુ આરોગ્ય માટે પણ ખૂબ ગુણકારી છે.

Famous Food In Gujarat.

ગુજરાતના લોકો ખાવાના ખૂબ શોખીન હોય છે. અહીંના પ્રસિદ્ધ ખાવાના પદાર્થોમાં ઢોકળા, ખાંડવી, થેપલા, ફાફડા-જલેબી, હાંડવો અને ઉંધિયું ખૂબ જાણીતા છે. પરંતુ ઉનાળામાં સૌથી વધારે પસંદ કરાતું ફળ એટલે કેરી. ખાસ કરીને કેરીનો રસ અને પુરી ગુજરાતના દરેક ઘરમાં પ્રેમથી બનાવવામાં આવે છે.


કેરી માત્ર મીઠાશ જ નથી આપતી, પણ શરીરને તાકાત, ઊર્જા અને ઠંડક પણ આપે છે.

Famous Mango Tree In Gujarat.

ગુજરાતમાં ખાસ કરીને ગીર વિસ્તાર અને સૌરાષ્ટ્રમાં આંબાના વૃક્ષો ખૂબ પ્રસિદ્ધ છે. અહીંનું વાતાવરણ કેરી માટે ખૂબ અનુકૂળ હોવાથી અહીંની કેરી દેશ-વિદેશમાં પ્રસિદ્ધ છે.

જૂનાગઢ, ગીર, તલાલા અને વેરાવળ વિસ્તારના આંબાના વૃક્ષો ખૂબ જાણીતા છે. અહીંની “કેસર કેરી” આખા ભારતમાં પોતાની સુગંધ અને મીઠાશ માટે પ્રસિદ્ધ છે. ગીરની કેસર કેરીને લોકો સોનાની કેરી પણ કહે છે.

5 Best Mango Tree.

ગુજરાત અને ભારતમાં કેટલીક કેરીઓ ખૂબ ગુણકારી અને લોકપ્રિય માનવામાં આવે છે. ચાલો જાણીએ 5 શ્રેષ્ઠ આંબાના વૃક્ષો વિશે.
  1. કેસર આંબો
  2. આલ્ફોન્સો આંબો
  3. લંગડો આંબો
  4. રાજાપુરી આંબો
  5. દશેરી આંબો

1. કેસર આંબો.

કેસર કેરી ગુજરાતની શાન છે. તેનો રંગ કેસર જેવો હોય છે અને સ્વાદ ખૂબ મીઠો હોય છે. આ કેરી આરોગ્ય માટે ખૂબ સારી માનવામાં આવે છે.

2. આલ્ફોન્સો આંબો.

આ કેરીને હાપુસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની સુગંધ અને સ્વાદ લોકોને ખૂબ પસંદ આવે છે.

3. લંગડો આંબો.

આ કેરી ખૂબ રસદાર હોય છે. તેમાં વિટામિન અને પોષક તત્વો વધારે હોય છે.

4. રાજાપુરી આંબો.

મોટી સાઇઝ અને મીઠા સ્વાદ માટે રાજાપુરી કેરી ખૂબ જાણીતી છે. લોકો તેનો રસ અને અથાણું બનાવે છે.

5. દશેરી આંબો.

દશેરી કેરી ખૂબ નરમ અને સ્વાદિષ્ટ હોય છે. બાળકો અને મોટા બધા તેને ખૂબ પસંદ કરે છે.

Best Mango Tree.

જો ગુજરાતની સૌથી શ્રેષ્ઠ કેરીની વાત કરીએ તો “કેસર આંબો” સૌથી આગળ આવે છે. તેની મીઠાશ, રંગ અને સુગંધ લોકોને મંત્રમુગ્ધ કરી દે છે. ગીરની કેસર કેરી દુનિયાભરમાં પ્રસિદ્ધ છે.

કેસર કેરીમાં વિટામિન A અને C ભરપૂર પ્રમાણમાં હોય છે. તે આંખો માટે સારી, શરીરને તાકાત આપનારી અને ગરમીમાં રાહત આપનારી માનવામાં આવે છે.

Mango Tree નું મહત્વ.

આંબાનું વૃક્ષ માત્ર ફળ જ નથી આપતું. પરંતુ પ્રકૃતિ માટે પણ ખૂબ ઉપયોગી છે. આંબાના વૃક્ષની છાંયડીમાં શાંતિ મળે છે. ગામડાઓમાં લોકો આજેય આંબાના વૃક્ષ નીચે બેસીને આરામ કરે છે. આંબાનું વૃક્ષ પ્રેમ, શાંતિ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. ઘણા ધાર્મિક પ્રસંગોમાં પણ આંબાના પાનનો ઉપયોગ થાય છે.

કેરી માત્ર એક ફળ નથી, પરંતુ ઉનાળાની મીઠી યાદ છે. ગુજરાતની કેરીઓ દેશ-વિદેશમાં પોતાની ઓળખ બનાવી ચૂકી છે. ખાસ કરીને ગીરની કેસર કેરી દરેકના દિલમાં સ્થાન બનાવી લે છે. આપણે પ્રકૃતિનું મહત્વ સમજીએ અને વધુમાં વધુ આંબાના વૃક્ષો વાવીએ જેથી આવતી પેઢીને પણ આ મીઠાશ મળી રહે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું